સાથ વિષે………
કોઈકનો સાથ જીવન માં થોડી ક્ષણોનો હોય છે પણ આખું જીવન મહેકતું કરીને જાય. કોઈકનો સાથ આખી જિંદગી હોય પણ ન હોવા બરોબર અને વ્યક્તિ ક્યારેક રસમો રિવાજ ને સમાજ ને લીધે આખી જિંદગી કોઈકનો નગુણો સાથ નિભાવી લ્યે છે. કોઈકનો સાથ એક આદત બની જાય છે. અને મીરા સાથે કૃષ્ણનો સાથ હતો તેમ ક્યારેક સાથ શ્રદ્ધા ની અનુભૂતિ છે. મીરાં ને કૃષ્ણ નો સાથ શ્રદ્ધા માં હતો તેથીજ મીરા ના શબ્દો માં સંવેદના થી તરબોળ એવા સાથ ના ઘણા રૂપ મળે છે.
ક્યારેક મીરા શ્રી કૃષ્ણ ના સાથ ને ઝંખે છે
मीरा कहै प्रभु कब रे मिलोगे
तुम बिन नैण दुखारा॥
म्हारे घर आ प्रीतम प्यारा॥
ક્યારેક તે સાથ ની અમૂલ્યતા ને અનુભવે છે
जनम जनम की पूंजी पाई
जग में सभी खोवायो
पायो जी मैंने राम रतन धन पायो
ને ક્યારેક તે વિરહ ની વેદના માં જુરે છે.
प्रभु जी तुम दर्शन बिन
मोय घड़ी चैन नहीं आवड़े॥
अन्न नहीं भावे, नींद न आवे
विरह सतावे मोय।
घायल ज्यूं घूमूं खड़ी रे
म्हारो दर्द न जाने कोय॥
ને ક્યારેક તેમના સંગાથ માં જ જીવન જતું હોય તેમ સહજતાથી કહે છે
साजि सिंगार बांधि पग घुंघरू,
लोक-लाज तजि नाची॥
मैं तो सांवरे के रंग राची।
સાથ માં આ બધા રૂપ સમાય જાય છે.
મારા શબ્દોમાં……
સાથ લાગણી છે, સંવેદના છે, પ્રેમ છે
સાથે હોય તે જ પૂછે ને તું હેમખેમ છે?
સાથ માં સંગાથ હોવો જરૂરી નથી
ક્યારેક સાથ માત્ર આદત જેમ છે
સાથ માં મતભેદ છે સાથે ફરિયાદ છે
વિરહ ને વેદના ને ફરી થતું મિલન છે
સાથ માં વર્તાય વ્યક્તિનું વ્યક્તિત્વ
તેને બીજા પ્રત્યે કેવો રહેમ છે
સાથ માં હિસાબ કિતાબ પણ હોય
સમર્પણ, તો ક્યારેક સાથ લેણદેણ છે
જન્મતાંજ શ્વાસ સાથે સંકળાયેલ સાથ છે
તો જ મિલન વગર પણ આજે સૌ હેમખેમ છે
#1 by sapana53 on July 28, 2020 - 12:04 pm
વાહ સાથ વિષે સુંદર કાવ્ય અને વિચારો