જાવેદ જાફરીના હિન્દી માં લખેલ કાવ્ય નો મેં ગુજરાતી માં અનુવાદ કર્યો છે. તેમાં થોડા શબ્દો બદલ્યા છે અને તે કાવ્યને અહીં પ્રસ્તુત કરું છું.
નફરત ની અસર જુઓ,જાનવરો વેચાય ગયા
ગાય હિન્દૂ અને બકરા મુસલમાન મનાય ગયા
ક્યારે તેમનો થશે બટવારો, ચિંતિત છે પંખીઓ
ઝાડ પાન ને શાખાઓ મૂંઝવણ માં મુકાય ગયા
સૂકા મેવા ની વહેંચણી માં નાળિયેર હિન્દૂ
ને ખજૂર મુસલમાન ના કહેવાય ગયા
રંગ માં યે જુદાઈ આવી, ધર્મની વિભાજીત માં
લાલ હિન્દૂ નો ને લીલા રંગ મુસલમાન ગણાય ગયા
માનો કે લીલા શાકભાજી હવે મુસલમાનના થશે
હિંદુના ઘરે ગાજર, ટામેટા ના થેલા મુકાય ગયા
પણ સમસ્યા મોટી ઉભી રહી તરબુચની
વિધવાનો માથા ખંજવાળતા રહી ગયા
બિચારું ઉપરથી છે મુસલમાન, અંદર થી હિન્દૂ
આ વિભાજન માં એવા કૈંક નિર્દોષો ખપાય ગયા
આ કાવ્ય ને આસ્વાદ ની તો જરૂર નથી. પણ આ કાવ્ય નો અંત બોલતા મને એ કહેવું છે કે એક વ્યક્તિની આઇડેન્ટિટી એટલે ઓળખ માત્ર તેના ધર્મ માં નથી. તે વ્યક્તિ કોઈની માં છે, બહેન છે, પત્ની છે, તેને હિન્દી ચલચિત્રો પસંદ છે, ગાવાની શોખીન છે, રસોઈ મસ્ત બનાવે છે, કેરમ રમવાનો શોખ ધરાવે છે ને વ્યવસાયે વકીલ છે. આમ લોકો કેટલા જટિલ હોય છે. ક્યારેક ઘૃણા અને ભેદભાવ માં રંગાઈને તેમની ઓળખ અને જટિલતા ને એક નાના એવા બોક્સ માં બેસાડીએ છીએ ત્યારે એ પણ ભૂલી જઈએ છીએ કે એજ વ્યક્તિ આપણી પાડોશણ, સખી, પિક્ચર જોવામાં સહભાગી અને પ્રેમથી જમાડવામાં પાવરધી હતી. અને અત્યારે તેવો અત્યાચાર ઇથિયોપિયા માં (જ્યાં મેં મારુ બાળપણ વિતાવ્યું) ત્યાં થઇ રહ્યો છે જ્યાં હજારોની સંખ્યા માં નાની યુવતીઓ અને બાળકીઓ બળાત્કાર અને જાતીય હિંસાનો ભોગ બની રહી છે. ટીગ્રી જાતિની વ્યક્તિઓ ઉપર આ અત્યાચાર થઇ રહ્યો છે. મેં એ આશા સાથે આ કાવ્ય અને તેનો અંત લખ્યો છે કે આપણે વ્યક્તિઓની ઓળખ આઇડેન્ટિટી ને કોઈ એક ખ્યાલ માં સંકોચીને જોવાની બદલે તેમને એક પૂર્ણ વ્યક્તિ તરીકે જોઈને મૈત્રીભાવ કેળવી શકીશું.