દ્રષ્ટિકોણ 102: એન્ટિબાયોટિક દવાની મહત્વપૂર્ણ શોધ અને તેનો ગેરઉપયોગ


pharmaceuticals antibiotics pills medicine /colorful antibacterials pills on  white background /capsule pill medicine

મિત્રો, શનિવારે પ્રકાશિત થતી દ્રષ્ટિકોણ કોલમ ઉપર હું દર્શના વારિયા નાડકર્ણી તમોને આવકારું છું. અત્યારે કોરોનાવાઈરસ ખુબ ચર્ચાઈ રહ્યું છે ત્યારે આપણે એન્ટિબાયોટિક દવા ઉપર થોડી ચર્ચા કરીએ। સૌથી પહેલા તો એ કે કોઈ પણ વાઇરસ ઉપર એન્ટિબાયોટિક દવા કામ કરતી નથી. એન્ટિબાયોટિક દવા માત્ર બેકટેરિયા ઉપર કામ કરે છે. તેથી જ એન્ટિબાયોટિક્સ ને એન્ટિબેકટીરિઅલ તરીકે પણ ઓળખાય છે કેમ કે તે ખાસ બેકટીરિયા ઉપર કામ કરે છે. આ શક્તિશાળી દવાઓ શરીર ના ખરાબ બેકટીરિયા નો નાશ કરે છે અને બેકટીરિયા દ્વારા શરીર માં થતા રોગો ઉપર કાબુ લાવે છે. વાઇરસ થી થતા રોગો (જેમકે શરદી, ઘણી જાતની ઉધરસ અને ફલૂ) ઉપર એન્ટિબાયોટિક્સ કામ નથી કરતી।

એલેક્ષાંડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે પહેલ વહેલી પેનિસિલિન નામના એન્ટિબાયોટિક ની શોધ 1928 માં કરી. દાક્તરી ભણ્યા પછી સ્ટેફીલોકોક્સ નામના બેકટીરિયા ઉપર કામ કરતા ફ્લેમિંગે નોંધ કરી કે એક વાર કોઈક ફૂગ વળવાથી પેટ્રી ડીશ માં ના બેકટીરિયા નો નાશ થયો. બીજા કોઈ હોય તો કામ બગડી ગયા નો અફસોસ કરે અને વધુ સાફ કરીને કામ શરુ કરે. પણ ફ્લેમિંગે આ ફૂગ બીજા બેકટીરિયા ની ડીશ ઉપર લગાડી અને તેમાં પણ બેકટીરિયા નો નાશ થયો. તેણે ત્યાર બાદ કરેલું કે બીજા દિવસે તે ઉઠ્યા ત્યારે તેણે એમ તો વિચારેલ જ નહિ કે બેકટીરિયા જે શરીર માટે કાતિલ બને છે તેને નાશ કરવાની દવાની તે શોધ તે ખુદ કરશે. પણ થયું તેવું જ. તેણે આ ફૂગ ને નામ આપ્યું પેનિસિલિન જીનસ।

બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ફ્લેમિંગ ના વિદ્યાર્થીઓ એ આ દવાનું સામુહિક ઉત્પાદન શરુ કર્યું। અને 1945 માં ફ્લેમિંગ ને આ શોધ માટે નોબેલ પ્રાઈઝ આપવામાં આવી. ટાઈમ મેગેઝીને તેને 20મી સદીના સૌથી મહત્વપૂર્ણ માણસ નું બિરુદ આપ્યું અને તેને 30 હોનારરી ડિગ્રીઓ અને કેટલાય ઇનામો આપવામાં આવ્યા છે. તે પછી તો બીજા ઘણા વૈજ્ઞાનિકોએ બીજા ઘણા એન્ટિબાયોટિક્સ જે જુદા જુદા બેકટીરિયા ઉપર અસર કરે છે તેની શોધ કરી છે.

હું નાની હતી ત્યારે મને ઘણી વખત ગળા માં દુખાવો થતો અને ડોક્ટર એન્ટિબાયોટિક નું પ્રિસ્ક્રિપશન આપતા. તે વિષે વધુ વાતો કરતા પહેલા કહીશ કે, એન્ટિબાયોટિક ની શોધ થતા પહેલા તેવા નાના નાના રોગ માં કેટલાયે બાળકો નાની ઉમર માં જ ખલાસ થઇ જતા. 20મી સદી ની શરૂઆત પહેલા ચેપી રોગો બાળકોના અને વૃધ્ધોના મૃત્યુ માટે જવાબદાર ગણાતા। સરેરાશ આયુષ્ય તે સમયે 47 આસપાસ હતું અને વધુ ગંદકી વાળી રહેવાની જગ્યાઓમાં ખુબજ ઓછું સરેરાશ આયુષ્ય હતું। પરંતુ ફ્લેમિંગ ના સંશોધન પછી તે વાસ્તવિકતા બદલાય ગઈ. ધીમે ધીમે અમેરિકા જેવા દેશોમાં સરેરાશ આયુષ્ય 80 ને પહોંચવા આવ્યું અને ચેપી રોગોથી મરવાને બદલે બિન ચેપી રોગો દ્વારા મૃત્યુ થવાનો દર વધી ગયો.

મેં આગળ કહ્યું તે પ્રમાણે હું સમજી ગઈ હતી કે મને ગાળામાં દુખાવો થાય ત્યારે મને એન્ટિબાયોટિક લેવાની જરૂર પડે છે. તે પછી તો મેં ડોક્ટર પાસે જવાનુંજ છોડી દીધું। ઘરમાં મારી મમ્મીને પણ કહેતી નહિ. ગાળામાં દુખે એટલે નીચે ચાલીને હું એન્ટિબાયોટિક ની બે ચાર ગોળી લઇ લેતી અને સારું લાગે એટલે લેવાનું બંધ. અજ્ઞાનતા માં રહીને આ રીતે એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ વધારીને મેં મારા શરીરને જ અતિશય નુકશાન નથી પહોચાડ્યું પરંતુ તે સાથે સાથે દુનિયાભર માં નુકશાન કર્યું છે અને ઘણા લોકોએ અજ્ઞાનતામાં રહીને જે રીતે આવા શક્તિશાળી એન્ટિબાયોટિક્સ નો ગેર ઉપયોગ કર્યો છે તેથી દુનિયાભરમાં મોટી સમસ્યા ઉપસ્થિત થઇ રહી છે. તે એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ વિષે અને સેપ્સિસ વિષે આવતા અઠવાડિયાઓ માં વધુ વાતો કરીશું।

મારો બ્લોગ ગમે તો 3200 વ્યક્તિઓ જોડે તમે પણ ફોલો કરી શકો છો અથવા બ્લોગ ની નીચે લાઈક નું બટન પ્રેસ કરો અથવા બ્લોગ ની ઉપર 5 સ્ટાર લાઈટ થયા પછી પ્રેસ કરીને બ્લોગ ને 5 સ્ટાર રેટિંગ આપી શકો છો. તમારી કોમેન્ટ પણ જરૂર મુકશો. હું બધીજ કોમેન્ટ્સ ખુશી થી વાંચું છું.

, , ,

  1. Leave a comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: